रविवार, 9 जून 2024
शनिवार, 27 अप्रैल 2024
સુરત બિનહરીફ
પ્રાસંગિક
+++
સુરતમાં બિનહરીફ ચૂંટણી થઈ પરંતુ અડધા સુરતના એટલે કે નવસારી બારડોલી ના લોકો મતદાન કરશે
++++++
લોકસભા ની 2024 ની ચૂંટણીમાં એક નવો ઇતિહાસ સર્જાયો. સુરતમાં લોકો મતદાન કરે તે પહેલા જ ભાજપના ઉમેદવાર વિજય ઘોષિત થયા. વિરોધ પક્ષો કહે છે કે સુરતમાં લોકશાહીની હત્યા થઈ છે પણ ના…સુરતના નવસારી બારડોલી ના લોકો મતદાન કરશે સુરતમાં જે હાઈ વૉલ્ટેજ ડ્રામા ભજવાયો તેમાં રાજકારણ ની વ્યુહરચના મહત્વની હતી લોકશાહીમાં જીતવું મહત્વનું છે અહીં ભાજપના ઉમેદવાર બિનહરીફ કેવી રીતે જીત્યા તેની માહિતી પણ રસપ્રદ છે.
++++++++
લોકસભાની ચૂંટણી થાય તે પહેલા જ સુરતમાં એવો ઇતિહાસ સર્જાયો કે લોકો મતદાન કરે તે પહેલા જ સુરતમાં કમળ ખીલી ગયું! આમ છતાં નવસારી અને બારડોલી ના મતદારો મતદાન થી વંચિત નહીં રહે. આમ અડધા સુરતના લોકોએ મતદાન કરવાનું છે.
નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી છ વર્ષ માટે શા માટે કાઢી મુકવામાં આવ્યા?
લોકશાહીમાં ચૂંટણીનો જંગ જીતવો અતિ જરૂરી છે. આ જંગ તમે કેવી રીતે જીતો છો તે મહત્વનું નથી વિજેતા થવું મહત્વનું છે!! સુરતમાં જે હાઈ વૉલ્ટેજ ડ્રામા ભજવાયો તેમાં શું બન્યું? તેની લોકોને બહુ ઓછી જાણ છે. લોકો એટલું જ સમજે છે કે સુરતમાં કમળ ખીલી ગયું લોકોએ મત નથી આપ્યો. હતા ભાજપ જીતી ગયું ! હવે સુરતના લોકોએ મત આપવાનો નથી તેઓ સોશિયલ મીડિયામાં પ્રચાર થઈ રહ્યો છે પરંતુ એવું નથી નવસારી અને બારડોલીના મતદારોએ મતદાન કરવાનું છે સુરતની બેઠક બિનહરીફ થયા બાદ પણ આ મતદાન કરવું અત્યંત જરૂરી છે મતલબ કે અર્ધા સુરતે મતદાન કરવું પડશે સુરત જિલ્લાના બારડોલી લોકસભાના 15.24 લાખ અને નવસારી બેઠકના 14.16 લાખ મતદારો મળી કુલ 29.40 લાખ લોકો સાતમીએ મતદાન કરશે.
સુરતમાં લોકશાહીના સૌથી મોટા હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ઈતિહાસ સર્જાયો, જે ભારતીય પક્ષ માટે વિજયની કલગી સમાન છે. સુરતમાં ઉમેદવારી નોંધાવનારા અપક્ષો સહિત આઠ ઉમેદવારોએ નાટ્યાત્મક રીતે તેમનાં ફોર્મ પાછા ખેંચી લીધાં. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલનો બિન-હરીફ વિજય થયો!
આ વિજય આસાન નથી. ઘણાં બધાં પરિબળો કામ કરી ગયાં છે. જાતજાતની વાતો થઈ રહી છે. જાણે કોંગ્રેસની પ્રતિભાને ધૂળધાણી કરવાનો
ભાજપનો 'માસ્ટર પ્લાન' સફળ થયો. સુરતના રાજકીય ડ્રામામાં સામ-દામ-દંડ-ભેદનો પૂરો ઉપયોગ થયો અને કોંગ્રેસના નેતાઓ - ટેકેદારોએ જ ભાજપ સાથે ભળી સુરતની બેઠક અર્પણ કરી દીધી એવી વાત છે. આ સામે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે ચૂંટણી પંચ સમક્ષ સુરતની બેઠકની ચૂંટણી સ્થગિત કરવા માગણી કરી છે. ચૂંટણી તંત્રની ભૂમિકા જ શંકાસ્પદ ગણાવી છે.
સુરતની ખૂબ ચર્ચાસ્પદ બની ગયેલી ઘટનામાં અનેક પ્રશ્નો અનુત્તર રહે છે. કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારોની સહીઓ કોણે કરી? સોગંદનામામાં ખોટી સહી કરવી એ ગુનો છે. શનિવારે હાઈ કોર્ટમાં પીટીશન ફાઈલ કરવાની જાહેરાત કરનાર કોંગ્રેસ અચાનક જ મૂક પ્રેક્ષક બની ગઈ! હાઈ કોર્ટમાં અરજી કરી નહિ અને જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત પણ નબળી રહી.
નવાઈની વાત એ પણ છે કે અચાનક જ અપક્ષ ઉમેદવારો અને બહુજન સમાજના ઉમેદવારે પોતાનાં ફોર્મ કઈ રીતે પાછાં ખેંચી લીધાં - કોઈનું દબાણ હતું, સમજાવટ કે હૃદય પરિવર્તન? કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી કેમ બે વખત પાછલા બારણેથી કલેક્ટર કચેરીએ ભાગ્યા હતા? કુંભાણીને કોંગ્રેસના સભ્ય પણ ન હોય એવા ટેકેદારો સાથે ફોર્મ ભરવા માટે કોણે સલાહ આપી હતી? પોતાના સગા-ભાગીદાર હોવાનો દાવો કરનાર કુંભાણી એકપણ ટેકેદારને ઉલટતપાસ માટે કેમ હાજર કરી શક્યા નહિ?
સુરતના કમળમાં અનેક ફાંટા પડેલા છે. એ દરેક ફાંટો મોટી ચર્ચાનો વિષય બની ગયો છે.
સુરત લોકસભા બેઠક બિનહરીફ થયા બાદ સુરતીઓએ મતદાન કરવાનું નથી તેવા મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ ચૂંટણી તંત્રની ઊંઘ બગડી છે. સુરત શહેરના લાખો મતદારોએ તેના મતવિસ્તાર મુજબ નવસારી અને બારડોલી બેઠકમાં મતદાન કરવાનું રહે છે. જેના કારણે ચૂંટણી તંત્ર સામે બન્ને બેઠકો માટે મતદાન કરાવવા માટે નવેસરથી અભિયાન ચલાવવાનો નવો પડકાર આવી પડ્યો છે.
આ પાછળનું કારણ સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ વિજયી બન્યા છે. સુરત લોકસભા બેઠકના ૧૮.૦૮ લાખ મતદારો આગામી ૭મીએ મતદાનથી વંચિત રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, સુરત શહેરનું
સીમાંકન મુજબ જિલ્લાની નવ વિધાનસભાના ઉમેદવારો નવસારી અને બારડોલી બેઠકમાં આવે છે.
સુરત જિલ્લામાં બારડોલી લોકસભાના ૧૫.૨૪ લાખ અને નવસારી બેઠકના ૧૪.૧૬ લાખ મતદારો મળીને કુલ ૨૯.૪૦ લાખ લોકો ૭મીએ મતદાન કરશે. આથી જે પ્રકારે સુરતીઓએ મતદાન કરવાનું નથી તેવા વાયરલ મેસેજથી તંત્રની ઊંઘ ઉડી છે. તંત્ર સામે નવસારી અને બારડોલીના સુરતની અલગ- અલગ વિધાનસભામાં વસતા મતદારોએ મતદાન કરવાનું છે તે જાગૃત્તિ અભિયાન ચલાવવાનો પડકાર આવ્યો છે.
બારડોલીમાં લોકસભામાં સુરત જિલ્લાની કામરેજ, માંડવી, માંગરોળ, મહુવા અને બારડોલી વિધાનસભાનો સમાવેશ થાય છે. તો નવસારી લોકસભા બેઠકમાં 'સુરત જિલ્લાનીલિંબાયાત, ઉધના, મજૂરા, ચોર્યાસી વિધાનસભાનો સમાવેશ થાય છે.
સુરતની નવ વિધાનસભાના મોટી સંખ્યામાં મતદારો નવસારી અને બારડોલીમાં આવતા હોય સુરતીઓએ મતદાન કરવાનું નથી તે મેસેજથી મોટી ઉહાપોહ મચી છે. જેને લઈને ચૂંટણી તંત્ર તત્કાળ કામે લાગ્યુ છે. નવસારી, બારડોલીના સુરત વિધાનસભામાં વસતા મતદારોને ઘરે-ઘરે સ્લીપ પહોંચાડી મતદાન કરવાનું છે તે સાથે ઠેર-ઠેર મતદાન જાગૃત્તિ કાર્યક્રમો પણ તંત્ર હાથ ધરશે.
માત્ર સુરતના ઓલપાડ, સુરત પૂર્વ, સુરત પશ્ચિમ, કરંજ, કતારગામ, વરાછા, સુરત ઉત્તર બેઠકના મતદારોએ આગામી સાતમી મેએ મતદાન કરવાનું નથી. બાકી નવ વિધાનસભા બેઠકના મતદારોએ જે-તે લોકસભા બેઠક માટે મતદાન કરવાનું છે.
સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ સુરત બેઠકના અપક્ષો પણ ચૂંટણીમાંથી ખસી જતાં અંતે સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ હતી. ૧૮.૦૮ લાખ સુરત મતદારોના મત છીનવવામાં જેની સૌથી મોટી ભૂમિકા રહી છે તે નિલેશ કુંભાણીની અંતે કોંગ્રેસમાંથી હકાલપટ્ટી થઈ છે. પાર્ટીએ છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.
સુરત બેઠક બિનહરીફ થયા બાદ નિલેશ કુંભાણી પર લોકોનો આક્રોશ ફૂટી નીકળ્યો છે. અનેક કોંગી કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે જઈ હલ્લાબોલ કર્યો હતો તો ગઈકાલે ફ્લાયઓવર પર લોકતંત્રનો હત્યારો નિલેશ કુંભાણી વોન્ટેડના બેનરો લાગ્યા હતા.
ગઈકાલે નિલેશ કુંભાણીની પત્ની મીડિયા સામે આવ્યા બાદ કુંભાણી કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સાથે સંપર્કમાં હોવાનું ટાંક્યું હતું.
જો કે, આજે વિધિસર કોંગ્રેસે નિલેશ કુંભાણીની હકાલપટ્ટી કરી તેને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યો છે. કોંગ્રેસની શિસ્ત સમિતિના સભ્ય બાલુભાઈ પટેલના નામે સામે આવેલા પત્ર પ્રમાણે કુંભાણીને કોંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ - માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પત્રમાં લખાયું છે કે, શિસ્ત સમિતિની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે. જે પ્રમાણે નિલેશ કુંભાણીની નિષ્કાળજી સ્પષ્ટપણે સામે આવી છે તેના કારણે આ પગલાં લેવામાં આવ્યાં છે. આ તરફ જ્યારથી નિલેશ કુંભાણીનું ચૂંટણી ફોર્મ રદ થયું હતું ત્યારથી જે તેની રાજકીય પક્ષ ભાજપા સાથે પાછલા બારણે સાંઠગાંઠ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. સતત સોશ્યલ મીડિયામાં નિલેશ કુંભાણી ગમે ત્યારે ભાજપામાં જોડાશે તેવી વાતો ફેલાય રહી છે. એવામાં હવે જ્યારે કોંગ્રેસે નિલેશ માટેના દ્વાર બંધ કર્યા છે ત્યારે જોવાનું રહેશે કે ભાજપામાં તેને પ્રવેશ મળે છે કે નહીં?
અહીં…. કિસને ક્યાં પાયા? કિસને ક્યાં ખોયા? એ ચર્ચા સુરતી લાલાઓ રસ પૂર્વક કરી રહ્યા છે!
સુરેશ ભટ્ટ
गुरुवार, 28 मार्च 2024
લોકસભા ચૂંટણી ઉમેદવાર પસંદગી ની યાદી
તંત્રીલેખ
ભાજપે જુના કાપી નવા માટે લાલ જાજમ બિછવી
+++++++++++++
સમગ્ર રાષ્ટ્ર આગામી ત્રણ મહિના માટે ચૂંટણી જવાનો છે રાજકીય નેતાઓ અને પક્ષના વચનો અને ઇરાદા ના અવનવાર પ્રકારો તેમાં પ્રજાને જોવા મળશે જાણવા મળશે
આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપાએ કુલ ૪૦૫ ઉમેદવાર ફાઇનલ કરી નાખ્યા છે. મંગળવારે છઠ્ઠી યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં રાજસ્થાનથી બે ઉમેદવાર અને એક મણિપુરથી હતા. રવિવારે પાંચમી યાદીમાં ૧૧ નામ જાહેર કરવામાં આવ્યાં હતાં. ભાજપે તબક્કાવાર ૬ યાદી જાહેર કરી મહારાષ્ટ્ર, હરિયાણા, યુપી, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી સહિત રાજ્યોના ઉમેદવાર ફાઇનલ કર્યા છે.
લોક્સભાની ચૂંટણી માટે ભાજપ મોવડીમંડળે ઉમેદવારોની પાંચમી યાદીમાં અનેક મોટા ફેરફાર જોવા મળ્યા છે. અનેક સ દિગ્ગજોની ટિકિટ કપાઈ છે નવા ચહેરા પર દાવ લગાવ્યાનું ચિત્ર બા છે. ત્રણ બેઠકો પર ઉમેદવારોનાં નામ જાહેર થયાં પછી ચૂંટણી ૨૦ લડવાના ઇનકાર બાદ નવા ચહેરાને તક આપવામાં આવી છે. હ ભાજપના પાંચમા લિસ્ટમાં ૩૭ સાંસદોનાં નામ ગાયબ છે. જે न મુખ્ય નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે તેમાં િ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત, રામાયણ સિરિયલમાં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલનાં નામ છે. મેનકા ગાંધીને ટિકિટ આપવામાં આવી છે, તો તેમના પુત્ર વરુણનું પત્તું કપાયું છે. હરિયાણામાં કોંગ્રેસમાં બે વેળા સાંસદ રહેલા નવીન જિંદલનો. કુરુક્ષેત્રથી અને અપક્ષ વિધાનસભ્ય અને રાજ્ય સરકારમાં પ્રધાન રણજિત ચૌટાલાને હિસારથી ટિકિટ આપવામાં આવી છે. તેઓ બે દિવસ પહેલાં જ ભાજપમાં જોડાયા હતા. તેઓ ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન ચૌધરી દેવીલાલના પુત્ર અને ઓમપ્રકાશ ચોટાલાના ભાઈ છે. ચૌધરી વીરેન્દ્ર સિંહ અને તેમના પુત્ર સાંસદ બૃજેન્દ્ર સિંહના ભાજપ છોડયા પછી પક્ષને હિસાર બેઠક પર શક્તિશાળી ઉમેદવારની આવશ્યક્તા હતી. વાયનાડમાં રાહુલ ગાંધી સામે ભાજપના પ્રદેશાધ્યક્ષ કે. સુરેન્દ્રનૂને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. २० न
લીધો છે.
ભાજપે બિહારમાં પોતાના અનેક મુખ્ય નેતાઓ પર ફરીથી વિશ્વાસ મૂક્યો છે, જેમાં રવિશંકર પ્રસાદ, રાજીવ પ્રતાપ રૂડી, નિત્યાનંદ રાયગિરિરાજ સિંહ, આર. કે. સિંહ, રાધામોહન સિંહનો સમાવેશ થાય છે. કર્ણાટકમાં પક્ષને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગદીશ શેટ્ટારને ઉમેદવાર બનાવ્યા છે, જેથી લિંગાયત સમાજને ફરી એકવાર પોતાની સાથે જોડી શકાય. સાંસદ અનંત હેગડેની ટિકિટ કાપવામાં આવી છે.
ઓડિશામાં ભાજપ બધી બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યો છે. સૂચિમાં કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, પક્ષ ઉપાધ્યક્ષ બૈજનાથ પોડા, પક્ષના પ્રવક્તા સંબિત પાત્રાનાં નામ સામેલ છે. પશ્ચિમ બંગાળમાં હાલમાં જ પક્ષમાં પાછા ફરેલા અર્જુન સિંહને ટિકિટ આપી છે. તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા તાપસ રોયને કોલકાતા ઉત્તરથી ટિકિટ આપવામાં આવી છે. પક્ષે સંદેશખાલીની પીડિતા રેખા પાત્રાને બશીરાહતથી ઉમેદવાર બનાવ્યા છે જ્યારે કૃષ્ણાનગરની બેઠક પરથી અમૃતા રોયને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. કોલકાતા હાઈ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અભિજિત ગંગોપાધ્યાય તમલુકથી ભાજપના ઉમેદવાર છે.
મેરઠમાં ઉછેરેલા અને રામની ભૂમિકા ભજવનારા અરુણ ગોવિલને ભાજપે મેરઠ-હાપુડ બેઠક પર ટિકિટ આપી છે. અહીં ખાસ ઉલ્લેખ કરવો ઘટે કે ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં અરુણ ગોવિલ પીળાં વસ્ત્રો પહેરી અયોધ્યાના રસ્તા પર નીકળ્યા ત્યારે જનતાએ તેમનું સ્વાગત પ્રભુ રામના રૂપમાં જ કર્યું હતું. મહાભારત અને રામાયણના અનેક કલાકારો સાંસદ બન્યા છે અથવા તો કોઈ અન્ય પદ પર છે. યોગાનુયોગ એ કે જે વર્ષ ભગવાન શ્રીરામના વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠા થઈ એ જ વર્ષે ગોવિલનો વનવાસ પણ ખતમ થયો. પોતાની જ જન્મભૂમિથી લોક્સભામાં જવા માટે ભાજપ દ્વારા તેમને તક આપવામાં આવી રહી છે.
પશ્ચિમ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ગૃહરાજ્ય તરીકે* ઓળખ ધરાવતા ગુજરાતમાં છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપે ક્લીન સ્વીપ કરવાં સાથે વિધાનસભા ચૂંટણીઓમાં પણ ત્રણ ચતુર્થાંશ બહુમત સાથે પ્રચંડ વિજયો મેળવેલા છે. છેલ્લા ત્રણ દાયકાથી તો લગભગ તમામ ચૂંટણીમાં ઉપરાઉપરી વ્હાઈટ વોશ થતા આવેલા કોંગ્રેસે આ વખતે ગુજરાતમાં આપ સાથે ગઠબંધન કરેલું છે. જો કે કોંગ્રેસની સૌથી મોટી મુશ્કેલી એ છે કે, રાજ્યમાં એક પછી એક કોંગ્રેસનાં નેતાઓ ભાજપનો ભગવો ધારણ કરવા લાગ્યા છે. હંમેશાંની માફક હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ ચૂંટણીમાં પ્રમુખ મુદ્દા રહેવાના જ છે. તદુપરાંત મોદી અને અમિત શાહનું ગૃહરાજ્ય હોવાનાં કારણે ગુજરાતમાં અસ્મિતાનાં મુદ્દાનો લાભ પણ ભાજપને મળતો આવે છે.
પંજાબની વાત કરીએ તો
છેલ્લા પાંચ વર્ષમાં આ રાજ્યની રાજનીતિમાં જબરદસ્ત બદલાવ આવેલો છે. પહેલા અહીં કોંગ્રેસ અને અકાલી એમ બે ધ્રુવ હતાં. હવે અહીં સત્તા આપ પાસે છે. અકાલી દળે કિસાન આંદોલનનાં બહાને ભાજપ સાથે જોડાણ તોડલું છે તો કોંગ્રેસનાં સ્તંભ રહેલા કેપ્ટન અમરિંદર સિંહ હવે ભાજપમાં જતા રહેલા છે. આપ વિપક્ષી ગઠબંધનમાં છે પણ કોંગ્રેસ સાથે બેઠક વહેચણીમાં મડાગાંઠ પડી છે. કિસાન આંદોલન નવેસરથી જોરમાં આવ્યું છે. ત્યારે ભાજપ અને અકાલી ફરીથી ગઠજોડનાં પ્રયાસોમાં લાગેલા છે.
સુરેશ ભટ્ટ
रविवार, 10 मार्च 2024
પાકિસ્તાન નહિ સુધરે
તંત્રી લેખ
પાકિસ્તાન નહિ સુધરે
+++++++
પાકિસ્તાનમાં નવી સરકાર સત્તા પર આવી અહીં સત્તા સરકારની નહીં પણ લશ્કરની ને અંતિમવાદીઓની હોય તેવું લાગે છે!
હાલમાં 72 વર્ષીય શહબાઝ શરીફે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા. ચૂંટણીમાં ગોટાળાના આરોપો વચ્ચે ચૂંટણીના અંદાજિત એક મહિના બાદ તેમણે આર્થિક સંકટથી જજૂમી રહેલા પાકિસ્તાનની કમાન સંભાળી છે. શહબાઝ શરીફના વડાપ્રધાન બનતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે હવે શહબાઝ શરીફે પણ વડાપ્રધાન મોદીના શુભેચ્છા સંદેશનો રિપ્લાય આપ્યો છે.
પાકિસ્તાનના નવા વડાપ્રધાન શહબાઝ શરીફે શુભેચ્છા મળવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો. શહબાઝ શરીફ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ છે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ શહબાઝ શરીફ વર્ષ 2022 પછી બીજી વખત દેશની બાગડોર સંભાળી રહ્યા છે. તે પાકિસ્તાનના 24માં વડાપ્રધાન છે. રસપ્રદ વાત એ છે કે, શહબાઝ શરીફે પાકિસ્તાનની કમાન ત્યારે સંભાળી હતી જ્યારે તેમનો દેશ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો હતો
પાકિસ્તાનની સંસદ ભંગ થતા પહેલા શહેબાઝ શરીફે એપ્રિલ 2022થી ઓગસ્ટ 2023 સુધી ગઠબંધન સરકારના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. તે PML-N અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના સંયુક્ત ઉમેદવાર હતા, જેમને 336 સભ્યોના ગૃહમાં 201 મત મળ્યા હતા, જે ગૃહના નેતા બનવા માટે જરૂરી મતોની સંખ્યા કરતા 32 વધુ છે.
પાકિસ્તાને ભારત સાથે જેટલા યુદ્ધ કર્યા તે તમામમાં તેણે હાર નો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનનું સૌથી પહેલું યુદ્ધ ભારત જીતી ગયું મુખ્ય વિષય કાશ્મીર હતો પરંતુ પંડિત નહેરુએ કાશ્મીરના પ્રશ્નને યુનોમાં લઈ જવાની જે ગંભીર ભૂલ કરી તેના પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છીએ.
ભારતને પહેલેથી જ પાકિસ્તાન અને ચીન જેવા ખટપટીયા પાડોશી મળ્યા છે પરંતુ હવે ભારત તેને ભરી પીવા માટે સક્ષમ છે પાકિસ્તાનમાં જ્યાં આંતરવિગ્રહ જેવી સ્થિતિ છે લોકો ભૂખે ટળોળે છે છતાં તેઓ કાશ્મીરનો રાગ આલાપવા માંથી આપવામાંથી ઊંચા આવતા નથી.
ભારત પાકિસ્તાનના સંબંધો 1947 થી જ તનાવપૂર્ણ રહ્યા છે જેના મૂળમાં છે કાશ્મીર. પાકિસ્તાન કહે છે કે સંપૂર્ણ કાશ્મીર અમારૂ છે અને આથી જ આઝાદી પછીના આટલો વર્ષો પછી પણ પાકિસ્તાન કાશ્મીરને છોડવા માગતું નથી બીજી બાજુ પાકિસ્તાનમાં લોકોને ખાવાના સાંસા છે. ગત મહિને યોજાયેલી ચૂંટણીમાં લશ્કરની દરમિયાનગીરી સામે આવી અત્યારે આખો દેશ અરાજકતાની આગ માં હોમાઈ ચૂક્યો છે ત્યારે ભારત સાથેના તેના સંબંધો હવે પછી કયા કેવા રહેશે તે જાણવું જરૂરી છે પાકિસ્તાનના ની બાબત ના કોઈ જ સત્તાવાર નિવેદનો ભારત સરકારે કર્યા નથી. કારણ કે તે એની અંગત બાબત છે એક વસ્તુ સ્પષ્ટ છે કે ભારત કહે છે કે પીઓકે અમારું છે. જ્યારે હકીકતમાં તે ભારતનું છે હવે જ્યારે પાકિસ્તાનમાં નવી સરકાર આવે છે જ્યારે ભારત સાથેના તેમના સંબંધો કેવા રહેવાના છે. તેનું માત્ર અનુમાન થઈ શકે.
શેહબાઝ શરીફ વડા પ્રધાન તરીકે ચાલુ રહેવાની તૈયારીમાં છે, જો કે તેમના ભાઈ નવાઝ શરીફ મોટો પ્રભાવ ધરાવતા હોવાનું માનવામાં આવે છે.
રાજકીય નેતાઓ હવે નવી સરકાર માટે સત્તાની વહેંચણીના કરાર સુધી પહોંચવામાં સફળ થયા છે. શાસક ગઠબંધનમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)નો સમાવેશ થશે, જેને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) અને કેટલાક નાના જૂથો સાથે દેશની શક્તિશાળી સૈન્ય દ્વારા સમર્થિત છે.
બે મુખ્ય પક્ષો શેહબાઝ શરીફને વડા પ્રધાન તરીકે પરત કરવા અને હત્યા કરાયેલ ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોના પતિ આસિફ અલી ઝરદારીને રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવા સંમત થયા હતા.
પાકિસ્તાનમાં નવી સરકાર લશ્કરી પીઠબળ પર નિર્ભર છે. જ્યારે વડાપ્રધાન અને તેનું મંત્રી મંડળ એક કટપુટલી જેવું બની જાય છે છતાં તો ત્યાં લશ્કરની જ ચાલે છે લશ્કરની સાથે સહભાગી તેની ગુપ્તચર એજન્સી છે અને ગુંડાઓ છે ત્રાસવાદીઓ છે જે પાકિસ્તાનને ચલાવે છે
ભારત માટે મુખ્ય મુદ્દો એ છે કે નવી સરકાર સરહદ પારના આતંકવાદના મુદ્દાને ઉકેલવામાં સક્ષમ છે કે નહીં.
"ભારતને એવો કોઈ ભ્રમ નથી કે પાકિસ્તાનની સેના ભારત પ્રત્યેની નીતિ નક્કી કરશે," તેમણે ઉમેર્યું. "હાલની રમતની સ્થિતિમાં કોઈપણ નાગરિક સરકારની ભારતની નીતિ પર માત્ર થોડી જ વાત હશે, પરંતુ શરીફનો સ્પષ્ટપણે તેમની ત્રણ વર્ષની પીટીઆઈ સરકારમાં ઈમરાન ખાન કરતાં ભારત સુધી પહોંચવાનો ટ્રેક રેકોર્ડ વધુ સારો છે."
ભારત પર હંમેશની જેમ વેપાર ચાલુ રાખવામાં જ પાકિસ્તાનને લાભ છે આથી તે આવ્યા પર ચાલુ રાખે તેવી શક્યતા છે
ભારત અને પાકિસ્તાન લાંબા સમયથી કાશ્મીર અને ક્રોસ બોર્ડર અથડામણો પર મતભેદો ધરાવે છે, આ ક્ષેત્રની કાનૂની દરજ્જામાં ભારતના ફેરફારોને કારણે પાકિસ્તાને 2019 માં દ્વિપક્ષીય વેપાર સ્થગિત કર્યો હતો અને વર્તમાન રાજદ્વારી આસ્થિરતા તરફ દોરી ગયું હતું.
"પછી ભલે ગમે તે પક્ષ જીતે કે ગઠબંધન સરકાર બનાવે, પાકિસ્તાનમાં નાગરિક-લશ્કરી સંબંધો સૈન્યની તરફેણમાં ભારે નમેલા છે. પાકિસ્તાનના ઇતિહાસમાં ક્યારેય મજબૂત નાગરિક સરકાર બની નથી અને તે સમજાવે છે કે શા માટે ભારત-પાકિસ્તાન શાંતિ પ્રક્રિયા ક્યારેય નથી થઈ. શબ્દના સાચા અર્થમાં દૂર કરવામાં આવ્યું,"
તેણી કહે છે કે નવાઝ શરીફના શાંતિ તરફી વલણનો અર્થ સેનાની સંમતિ વિના બહુ ઓછો છે.
"તે શંકાસ્પદ લાગે છે કારણ કે ઈસ્લામાબાદ તરફથી કોઈપણ શાંતિ તરફી ઈશારો કાશ્મીર પરના તેના મજબૂત સ્થાનોને નકારવાથી શરૂ કરવો પડશે જે પાકિસ્તાની સૈન્યના પૂર્વાધિકારને ઝુકાવી શકે છે,"
સુરેશ ભટ્ટ
शनिवार, 10 फ़रवरी 2024
પાકિસ્તાનમાં ચૂંટણી બાદ રાજકતા
તંત્રી લેખ
લોકશાહીની હત્યા બાદ પાકિસ્તાનમાં અરાજકતા
+++++++
પાકિસ્તાનની ચૂંટણીમાં મોટા પ્રમાણમાં ગરબડ કરવામાં આવી અને કેપ્ટન ઇમરાન ખાનના વિજયને કાવાદાવા કરીને અટકાવવામાં આવ્યો. મતગણતરી પાકિસ્તાનમાં શરૂ થઈ ત્યારે શરૂઆતના ત્રણ તબક્કામાં ઇમરાનખાન સૌથી આગળ ચાલી રહ્યા હતા તેના ઉમેદવારો વધુ મત મેળવી રહ્યા હતા જોકે ઇમરાન ખાન જેલમાં હોવાથી તે ચૂંટણીમાં નથી ઊભા રહ્યા પરંતુ તેના સમર્થકો વધુને વધુ મત મેળવતા હતા આથી લશ્કરે ચૂંટણીની પ્રક્રિયામાં મોટા પ્રમાણમાં ગરબડ કરીને પીટીઆઈ ના વિજયને અટકાવી દીધો. આમ પાકિસ્તાનમાં લોકશાહીની હત્યા થઈ. હવે પાકિસ્તાનમાં નવાજ શરીફ અને તેના પ્રાદેશિક પક્ષો મળીને ત્રીશંકુ સરકાર રચશે આ ચૂંટણી પહેલા બલુચિસ્તાનમાં પરિસ્થિતિ વિસ્ફોટક બની હતી આ સરહદી પ્રાંતમાં ચૂંટણી બાદ અરાજકતા નું સામ્રાજ્ય છવાયેલું છે. આર્થિક રીતે કંગાળ બનેલા પાકિસ્તાને ઈરાન પર હુમલો કર્યો પરિણામે ઈરાને સર્જીકલ સ્ટ્રાઈક કરી પાકિસ્તાનના છક્કા છોડાવી દીધા ત્યારબાદ ચૂંટણીનો માહોલ પણ લોહીભીનો બન્યો. ચારે તરફ અરાજકતા નું વાતાવરણ છવાયેલું હતું તેમાં ચૂંટણી બાદ પણ લોકશાહીની હત્યા થઈ જે અરાજકતા બલુચિસ્તાન પૂરતી હતી તે સમગ્ર દેશમાં ફેલાઈ ગઈ.સૌથી વધુ અરાજકતાને હિંસા બલુચિસ્તાનમાં છે જ્યાં કોઈ નું નિયંત્રણ નથી.
આ હુમલાના બે દિવસ પહેલાં ઈરાને પાકિસ્તાનમાં આવેલા બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલા ઉગ્રવાદીઓને લક્ષ્યમાં રાખીને હુમલાઓ કર્યા હતા.
પાકિસ્તાનના અધિકારીઓના કહેવા અનુસાર, ઈરાને કરેલા હુમલામાં બે બાળકોનાં મૃત્યુ થયાં હતાં અને ત્રણ લોકો ઘાયલ થયા હતા.
આ હુમલાઓને કારણે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં એ પ્રકારની ચિંતા જન્મી છે કે મધ્ય-પૂર્વના ક્ષેત્રમાં આ વિવાદો વધીને કોઈ યુદ્ધનું સ્વરૂપ ન લે.
જોકે, ઐતિહાસિક રીતે ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ઘણા ગૂંચવણભર્યા રહ્યા છે પરંતુ બંને દેશોએ ચોક્કસ સૌહાર્દ જાળવી રાખ્યો છે.
બંને દેશો માટે બલૂચ ઉગ્રવાદીઓનો પ્રશ્ન કાયમનો રહ્યો છે. પાકિસ્તાન સ્થિત ભૂતપૂર્વ બ્રિટિશ ઍમ્બેસેડર રૉબર્ટ મેકેર તેને અંધાધૂંધી ભરેલી એ જગ્યા ગણાવે છે જ્યાં કોઈ ‘કાયદો’ નથી.
પાકિસ્તાનનો 44 ટકા ભાગ બલૂચિસ્તાનમાં આવેલો છે, જેમાં સોનું, તાંબું અને ગેસનો વિપુલ જથ્થો છે. તે દૃષ્ટિએ એશિયામાં બલૂચિસ્તાનો આ વિસ્તાર ખૂબ મહત્ત્વપૂર્ણ છે.
પરંતુ વિરોધાભાસી રીતે, દૂરસુદૂરમાં આવેલો આ પ્રદેશ વિખૂટો રહે છે. તે પાકિસ્તાનનો સૌથી ગરીબ અને સૌથી ઓછો વિકસિત પ્રાંત છે.
આ પ્રાંતનું નામ બલૂચ જનજાતિઓ પરથી પડ્યું હોવાનું મનાય છે, જેમણે આ વિસ્તારમાં સદીઓ પહેલાં વસવાનું શરૂ કર્યું હતું.
એવી સંભાવના છે કે એ પહેલાં આ વિસ્તાર કોઈ અન્ય નામે ઓળખાતો હોય પરંતુ ઇસ્લામિક કાળ પહેલાંનો તેનો કોઈ રેકૉર્ડ મળતો નથી. પરંતુ પ્રાચીન સમય માટે અખંડ ભારત વર્ષનો જ એક ભાગ હતો.
અલગ-અલગ ઉગ્રવાદી જૂથો પ્રેરિત અસ્થિરતા 1948માં શરૂ થઈ હતી. બલૂચ લોકો તેમના અલગ સ્વતંત્ર રાષ્ટ્ર માટેની માગણી કરી રહ્યા હતા. 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ તેમણે આ ચળવળ શરૂ કરી હતી.
ભાગલાવાદી લોકોએ સતત તેમનો મત વ્યક્ત કર્યો હતો કે ઇસ્લામાબાદથી ચાલતી પાકિસ્તાનની સરકાર તેમના પ્રદેશ પ્રત્યે સતત દુર્ભાવનાથી કામ કરે છે. બલૂચ લોકોને સતત એવું લાગતું હતું કે તેમની સાથે ભેદભાવ થઈ રહ્યો છે. આટલું મોટું રાજ્ય હોવા છતાં તેમનું પ્રતિનિધિત્ત્વ દરેક જગ્યાએ ઓછું હતું.
આ વિસ્તારમાં આવેલા મોટા રણમાં બે દાયકાથી વધુ સમય પહેલાં પાકિસ્તાને છ પરીક્ષણો કર્યાં હતાં જેના કારણે પાકિસ્તાને સફળતાપૂર્વક પરમાણુ પરીક્ષણ કરનાર દેશ તરીકે વિશ્વમાં સાતમું સ્થાન બનાવ્યું હતું.
આ પરીક્ષણો મે, 1998માં તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફના નેતૃત્વ હેઠળ ચગાઈ જિલ્લામાં (તેને ચગાઈ-1 કહેવામાં આવે છે)માં કરવામાં આવ્યા હતા અને તેના પરિણામે પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાગ્યા હતા.
"અમે ક્યારેય આ પરમાણુ સ્પર્ધામાં ભાગ લેવા માગતા ન હતા," શરીફે તે સમયે આમ કહ્યું હતું.
નવાજ શરીફ કદાચ સત્તામાં આવે તો પણ તે બલુચિસ્તાનને સંભાળી શકે કે કેમ તે એક મોટી શંકા છે તેમના માટે આ સૌથી મોટો માથાનો દુખાવો રહેવાનો છે તે નક્કી જ છે
“બલૂચિસ્તાનમાં અનેક પ્રકારના રાષ્ટ્રવાદ જોવા મળે છે. ઘણા લોકો પાકિસ્તાન જે પણ નિર્ણય લે તેનો વિરોધ કરે છે કારણ કે તેઓ કોઈપણ ભોગે એક સ્વતંત્ર રાષ્ટ્ર બનવા ઇચ્છે છે.”
“જ્યારે અનેક જૂથોના મનમાં એવી લાગણી છે કે પંજાબ પછી પાકિસ્તાનનો બીજો સૌથી મોટો પ્રદેશ હોવા છતાં પણ તેમના લોકોની સલાહ લેવામાં આવતી નથી.”
પાકિસ્તાનમાં લોકશાહીની હત્યા બાદ માત્ર બલુચિસ્તાન નહીં પરંતુ સિદ્ધ પ્રાંત અને પીઓકે પણ સૌથી વધારે અશાંતગ્રસ્ત વિસ્તારો છે જે આજે નહીં તો કાલે પાકિસ્તાનના હાથમાંથી જવાના છે
સુરેશ ભટ્ટ
pryaavrn
कार्बन कैप्चर और स्टोरेज तकनीक क्या है?
dw.com/hi/what-is-carbon-capture-and-storage/a-68203107
15 घंटे पहले
हमारे वायुमंडल में कार्बन डाइऑक्साइड का उत्सर्जन लगातार बढ़ रहा है और इससे धरती गर्म हो रही है. हालांकि, ऐसी तकनीक है जिससे वायुमंडल में उत्सर्जित होने वाले कार्बन को कैप्चर करके उसे धरती के भीतर इकट्ठा किया जा सकता है.
तस्वीर: Patrick Pleul/dpa/picture alliance
विज्ञापन
कार्बन डाइऑक्साइड पृथ्वी के वायुमंडल का प्राकृतिक और महत्वपूर्ण हिस्सा है. हालांकि, औद्योगिक क्रांति की शुरुआत यानी 200 साल पहले की तुलना में वायुमंडल में इसकी सघनता 50 फीसदी बढ़कर 422 पार्ट प्रति मिलियन (पीपीएम) हो गई है.
औद्योगिक क्रांति के बाद से इंसानी गतिविधियों ने धरती को गर्म करने वाले इस गैस की मात्रा को वायुमंडल में खतरनाक स्तर तक बढ़ा दिया है. इसमें सबसे बड़ा योगदान जीवाश्म ईंधन का है और हमने इस उत्सर्जन को कम करने के लिए भी बहुत ज्यादा प्रयास नहीं किए हैं.
जैसे-जैसे कार्बन डाइऑक्साइड और अन्य ग्रीनहाउस गैस वायुमंडल में बढ़ती हैं, वे एक कंबल के तौर पर काम करती हैं. वे सूरज से आने वाली गर्मी को रात में वापस अंतरिक्ष में जाने से रोकती हैं. इससे धरती गर्म हो जाती है.
कार्बन कैप्चर और स्टोरेज क्या है?
सामान्य तौर पर, पेड़-पौधे कार्बन डाइऑक्साइड को अवशोषित करते हैं और वायुमंडल में उसकी मात्रा कम करते हैं. महासागर और मिट्टी भी सीओ2 को अवशोषित करती हैं, लेकिन इनकी भी अपनी एक सीमा है. इनकी मदद से सीओ2 की मात्रा को तुरंत कम नहीं किया जा सकता. वहीं, हम वनों की लगातार कटाई कर रहे हैं और कीटनाशकों का काफी ज्यादा इस्तेमाल कर मिट्टी को प्रदूषित कर रहे हैं. इससे सीओ2 को अवशोषित करने की क्षमता कम हो रही है.
ऐसे में एक नई तकनीक का ईजाद किया गया है जिसके जरिए वायुमंडल में कार्बन पहुंचने से पहले ही उसे कैप्चर करके इकट्ठा किया जा सकता है. इस तकनीक का नाम है सीएसएस (कार्बन कैप्चर एंड स्टोरेज). सबसे पहले 1970 में यह तकनीक लॉन्च की गई थी. हालांकि, स्वास्थ्य और सुरक्षा से जुड़ी चिंताओं की वजह से यह प्रक्रिया विवादास्पद बनी हुई है.
इस प्रक्रिया के दौरान पाइप लीक होने से इंसानों या जानवरों को सांस लेने में समस्या हो सकती है और यहां तक कि उनकी मौत भी हो सकती है. पीने का पानी दूषित हो सकता है. साथ ही, जमीन में इकट्ठा किए जाने वाले सीओ2 की वजह से भूकंप आने का भी खतरा है. फिलहाल, जर्मनी में इस तकनीक के इस्तेमाल पर प्रतिबंध है.
विज्ञापन
सीएसएस तकनीक कैसे काम करती है?
इस तकनीक के जरिए वायुमंडल में कार्बन डाइऑक्साइड पहुंचने से पहले ही कैप्चर कर लिया जाता है. इसे प्वाइंट-सोर्स कैप्चर कहा जाता है. इसमें कोयले या प्राकृतिक गैस जैसे जीवाश्म ईंधन के जलने या स्टील कारखानों, रिफाइनरी, सीमेंट और उर्वरक संयंत्रों से निकलने वाली अन्य गैसों से कार्बन डाइऑक्साइड को कृत्रिम तरीके से अलग किया जाता है. दहन से पहले भी ईंधन से सीओ2 को हटाया जा सकता है, लेकिन यह एक अलग तकनीक है.
सीओ2 को कैप्चर करने के बाद उसे तरल अवस्था में बदला जाता है और भंडारण स्थल पर ले जाया जाता है. यह आम तौर पर जमीन के काफी अंदर होता है. जैसे, ऐसी जगह जहां पहले तेल या गैस का भंडार था, लेकिन अब उसका इस्तेमाल बंद हो चुका है, बंद हो चुकी कोयला खदानें वगैरह.
वहीं, वायुमंडल में मौजूद कार्बन को भी सीधे तौर पर कैप्चर करने की तकनीक मौजूद है. इसमें फिल्टर और रसायनों का इस्तेमाल करके सीधे हवा से कार्बन डाइऑक्साइड को कैप्चर किया जाता है. इसे कार्बन स्टोरेज या डायरेक्ट एयर कैप्चर विद कार्बन स्टोरेज (डीएसीसीएस) कहा जाता है. हालांकि, यह काम काफी खर्चीला है और इसके लिए बहुत ज्यादा ऊर्जा की भी जरूरत होती है.
कार्बन को कैप्चर करने का एक अन्य तरीका है बीईसीसीएस यानी बायोएनर्जी विद कार्बन कैप्चर एंड स्टोरेज. इसमें ऊर्जा उत्पन्न करने के लिए बायोमास को जलाया जाता है. इस बायोमास में लकड़ी, फसल या कृषि के अपशिष्ट या शहरों से निकलने वाले कचरे शामिल हैं, जिनमें कैप्चर किया गया कार्बन होता है. इस बायोमास को जलाने से जो उत्सर्जन होता है उसे कैप्चर करके जमीन में इकट्ठा किया जाता है.
वनों और फसलों को प्रबंधित तरीके से लगाने और उनके प्रसंस्करण से भी कार्बन को इकट्ठा किया जा सकता है. हालांकि, इन फसलों को लगाने के लिए हमें उस पानी और जमीन का इस्तेमाल करना होगा जिससे हम भोजन के लिए अन्न उपजाते हैं.
इन सब के बीच सबसे अहम बात यह है कि सभी तकनीकों का इस्तेमाल आज भी सीमित तौर पर किया जाता है. अधिकांश तकनीकों का परीक्षण बड़े पैमाने पर नहीं किया गया है.
कार्बन कैप्चर और भंडारण क्यों मायने रखता है?
जनवरी 2023 में जारी विशेषज्ञों की रिपोर्ट के मुताबिक, भले ही हम निकट भविष्य में कार्बन डाइऑक्साइड उत्सर्जन में भारी कटौती करें, फिर भी दुनिया को 2100 तक 450 अरब से 1.1 ट्रिलियन मीट्रिक टन सीओ2 हटाने की जरूरत होगी.
यूएन पर्यावरणीय मामलों की समिति आईपीसीसी (इंटरगवर्नमेंटल पैनल ऑन क्लाइमेट चेंज) ने 2022 में कहा कि अगर दुनिया नेट-जीरो उत्सर्जन लक्ष्यों को हासिल करना चाहती है, तो सीओ2 हटाने वाली तकनीकों का इस्तेमाल "अवश्य" करना होगा.
वहीं दूसरी ओर, विशेषज्ञों ने चेतावनी दी है कि इस क्षेत्र को अगले 10 वर्षों में काफी ज्यादा विकसित करने की जरूरत होगी. वर्तमान शोध से पता चलता है कि वैश्विक उत्सर्जन का सिर्फ 0.1 फीसदी ही ऐसी तकनीकों से कैप्चर किया जाता है.
नवंबर 2023 में, अंतरराष्ट्रीय ऊर्जा एजेंसी ने चेतावनी दी थी कि तेल और गैस उत्पादकों को "इस भ्रम को दूर करने की जरूरत है कि बड़ी मात्रा में कार्बन कैप्चर करना ही समस्या का समाधान है."
आलोचकों का कहना है कि सीएसएस तकनीक जीवाश्म ईंधन उत्पादकों को तेल, गैस और कोयले का दोहन जारी रखने की हरी झंडी देता है. वे कहते हैं, "बेहतर समाधान यह है कि जीवाश्म ईंधन पर निर्भरता को कम किया जाए और जितनी जल्दी हो सके उसके इस्तेमाल को पूरी तरह बंद किया जाए."
सिर्फ एक प्रतिशत अमीर करते हैं पांच अरब गरीबों जितना कार्बन उत्सर्जन
एक नई रिपोर्ट के मुताबिक दुनिया के सबसे अमीर लोगों में से एक प्रतिशत करीब पांच अरब सबसे गरीब लोगों के बराबर कार्बन का उत्सर्जन करते हैं. जलवायु परिवर्तन को रोकने में कुछ लोगों की जिम्मेदारी दूसरों से ज्यादा होनी चाहिए.
तस्वीर: Charles M Vella/ZUMAPRESS.com/picture alliance
उत्सर्जन में भी असंतुलन
दुनिया के एक प्रतिशत सबसे अमीर लोग (7.7 करोड़) दुनिया के 16 प्रतिशत उत्सर्जन के जिम्मेदार हैं. यह आय के हिसाब से दुनिया के 66 प्रतिशत सबसे गरीब लोगों (5.11 अरब) के उत्सर्जन के बराबर है. अमीरों और गरीबों के बीच उत्सर्जन की खाई की यह रिपोर्ट अंतरराष्ट्रीय नॉन-प्रॉफिट ऑक्सफैम इंटरनेशनल ने बनाई है.
तस्वीर: Kurt Desplenter/dpa/picture alliance
कैसे निकाला आंकड़ा
वैश्विक स्तर पर सबसे अमीर एक प्रतिशत लोगों को चिन्हित करने के लिए परचेजिंग पावर पैरिटी का इस्तेमाल किया गया. यानी अमेरिका में इसकी कसौटी 1,40,000 डॉलर होगी जब कि केन्या में यही कसौटी करीब 40,000 डॉलर होगी.
तस्वीर: Fatih Aktas/AA/picture alliance
देशों के अंदर स्थिति और गंभीर
देशों के अंदर भी इस असंतुलन की बड़ी गंभीर तस्वीर निकल कर आई. उदाहरण के तौर पर, फ्रांस में एक प्रतिशत सबसे अमीर सिर्फ एक साल में इतना उत्सर्जन करते हैं जितना सबसे गरीबों में से 50 प्रतिशत लोग 10 सालों में करते हैं. इस रिपोर्ट का आधार है स्टॉकहोम एनवायरनमेंट इंस्टिट्यूट द्वारा की गई रिसर्च.
तस्वीर: Christopher Furlong/Getty Images
एक बनाम 1, 270
अकेले 'लूई वितों' के अरबपति संस्थापक और फ्रांस के सबसे अमीर व्यक्ति बर्नार आर्नो का कार्बन पदचिन्ह एक औसत फ्रांसीसी व्यक्ति से 1,270 गुना ज्यादा है. लॉसन कहते हैं, "आप जितने ज्यादा अमीर हों, आपके लिए आपके निजी और निवेश संबंधी उत्सर्जन कम करना उतना ही आसान होता है. आपको तीसरी गाड़ी की, छुट्टियों में चौथे टूर की और सीमेंट उद्योग में निवेश बनाये रखने की जरूरत नहीं है."
तस्वीर: Susan Walsh/AP Photo/picture alliance
कंपनियों का उत्सर्जन
इस रिपोर्ट में सिर्फ व्यक्तिगत खपत की बात की है, लेकिन यह भी कहा गया है कि "सुपर अमीरों की व्यक्तिगत खपत कंपनियों में उनके निवेश के चलते निकले उत्सर्जन के आगे बौनी पड़ जाती है." ऑक्सफैम के पुराने शोध ने दिखाया है कि 'स्टैंडर्ड एंड पूअर 500' सूचकांक की कंपनियों के औसत के मुकाबले अरबपतियों के प्रदूषण फैलाने वाले उद्योगों में निवेश की संभावना दोगुनी है.
तस्वीर: Kevin Frayer/Getty Images
सबकी जिम्मेदारी बराबर नहीं
रिपोर्ट के सह-लेखक मैक्स लॉसन के मुताबिक जलवायु संकट से लड़ना एक साझा चुनौती है लेकिन हर व्यक्ति इसके लिए बराबर रूप से जिम्मेदार नहीं है. इसीलिए सरकारी नीतियों को इसी हिसाब से बनाने की जरूरत है. उनके मुताबिक सरकारों को ऐसी जलवायु नीति लानी चाहिए जो उन लोगों से सबसे ज्यादा त्याग करवाए जो सबसे ज्यादा उत्सर्जन करते हैं.
कड़े कदमों की जरूरत
इसके लिए कुछ कड़े कदमों की जरूरत है. जैसे एक साल में 10 से ज्यादा उड़ानें भरने पर टैक्स लगाया जा सकता है. या नॉन-ग्रीन निवेशों पर ग्रीन निवेशों के मुकाबले काफी ज्यादा टैक्स लगाया जा सकता है. (एएफपी)

-
પ્રાસંગિક +++ સુરતમાં બિનહરીફ ચૂંટણી થઈ પરંતુ અડધા સુરતના એટલે કે નવસારી બારડોલી ના લોકો મતદાન કરશે ++++++ લોકસભા ની 2024 ની ચૂંટણીમાં એક ...