તંત્રી લેખ
પાકિસ્તાન નહિ સુધરે
+++++++
પાકિસ્તાનમાં નવી સરકાર સત્તા પર આવી અહીં સત્તા સરકારની નહીં પણ લશ્કરની ને અંતિમવાદીઓની હોય તેવું લાગે છે!
હાલમાં 72 વર્ષીય શહબાઝ શરીફે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા. ચૂંટણીમાં ગોટાળાના આરોપો વચ્ચે ચૂંટણીના અંદાજિત એક મહિના બાદ તેમણે આર્થિક સંકટથી જજૂમી રહેલા પાકિસ્તાનની કમાન સંભાળી છે. શહબાઝ શરીફના વડાપ્રધાન બનતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે હવે શહબાઝ શરીફે પણ વડાપ્રધાન મોદીના શુભેચ્છા સંદેશનો રિપ્લાય આપ્યો છે.
પાકિસ્તાનના નવા વડાપ્રધાન શહબાઝ શરીફે શુભેચ્છા મળવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો. શહબાઝ શરીફ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ છે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ શહબાઝ શરીફ વર્ષ 2022 પછી બીજી વખત દેશની બાગડોર સંભાળી રહ્યા છે. તે પાકિસ્તાનના 24માં વડાપ્રધાન છે. રસપ્રદ વાત એ છે કે, શહબાઝ શરીફે પાકિસ્તાનની કમાન ત્યારે સંભાળી હતી જ્યારે તેમનો દેશ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો હતો
પાકિસ્તાનની સંસદ ભંગ થતા પહેલા શહેબાઝ શરીફે એપ્રિલ 2022થી ઓગસ્ટ 2023 સુધી ગઠબંધન સરકારના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. તે PML-N અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના સંયુક્ત ઉમેદવાર હતા, જેમને 336 સભ્યોના ગૃહમાં 201 મત મળ્યા હતા, જે ગૃહના નેતા બનવા માટે જરૂરી મતોની સંખ્યા કરતા 32 વધુ છે.
પાકિસ્તાને ભારત સાથે જેટલા યુદ્ધ કર્યા તે તમામમાં તેણે હાર નો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનનું સૌથી પહેલું યુદ્ધ ભારત જીતી ગયું મુખ્ય વિષય કાશ્મીર હતો પરંતુ પંડિત નહેરુએ કાશ્મીરના પ્રશ્નને યુનોમાં લઈ જવાની જે ગંભીર ભૂલ કરી તેના પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છીએ.
ભારતને પહેલેથી જ પાકિસ્તાન અને ચીન જેવા ખટપટીયા પાડોશી મળ્યા છે પરંતુ હવે ભારત તેને ભરી પીવા માટે સક્ષમ છે પાકિસ્તાનમાં જ્યાં આંતરવિગ્રહ જેવી સ્થિતિ છે લોકો ભૂખે ટળોળે છે છતાં તેઓ કાશ્મીરનો રાગ આલાપવા માંથી આપવામાંથી ઊંચા આવતા નથી.
ભારત પાકિસ્તાનના સંબંધો 1947 થી જ તનાવપૂર્ણ રહ્યા છે જેના મૂળમાં છે કાશ્મીર. પાકિસ્તાન કહે છે કે સંપૂર્ણ કાશ્મીર અમારૂ છે અને આથી જ આઝાદી પછીના આટલો વર્ષો પછી પણ પાકિસ્તાન કાશ્મીરને છોડવા માગતું નથી બીજી બાજુ પાકિસ્તાનમાં લોકોને ખાવાના સાંસા છે. ગત મહિને યોજાયેલી ચૂંટણીમાં લશ્કરની દરમિયાનગીરી સામે આવી અત્યારે આખો દેશ અરાજકતાની આગ માં હોમાઈ ચૂક્યો છે ત્યારે ભારત સાથેના તેના સંબંધો હવે પછી કયા કેવા રહેશે તે જાણવું જરૂરી છે પાકિસ્તાનના ની બાબત ના કોઈ જ સત્તાવાર નિવેદનો ભારત સરકારે કર્યા નથી. કારણ કે તે એની અંગત બાબત છે એક વસ્તુ સ્પષ્ટ છે કે ભારત કહે છે કે પીઓકે અમારું છે. જ્યારે હકીકતમાં તે ભારતનું છે હવે જ્યારે પાકિસ્તાનમાં નવી સરકાર આવે છે જ્યારે ભારત સાથેના તેમના સંબંધો કેવા રહેવાના છે. તેનું માત્ર અનુમાન થઈ શકે.
શેહબાઝ શરીફ વડા પ્રધાન તરીકે ચાલુ રહેવાની તૈયારીમાં છે, જો કે તેમના ભાઈ નવાઝ શરીફ મોટો પ્રભાવ ધરાવતા હોવાનું માનવામાં આવે છે.
રાજકીય નેતાઓ હવે નવી સરકાર માટે સત્તાની વહેંચણીના કરાર સુધી પહોંચવામાં સફળ થયા છે. શાસક ગઠબંધનમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)નો સમાવેશ થશે, જેને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) અને કેટલાક નાના જૂથો સાથે દેશની શક્તિશાળી સૈન્ય દ્વારા સમર્થિત છે.
બે મુખ્ય પક્ષો શેહબાઝ શરીફને વડા પ્રધાન તરીકે પરત કરવા અને હત્યા કરાયેલ ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોના પતિ આસિફ અલી ઝરદારીને રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવા સંમત થયા હતા.
પાકિસ્તાનમાં નવી સરકાર લશ્કરી પીઠબળ પર નિર્ભર છે. જ્યારે વડાપ્રધાન અને તેનું મંત્રી મંડળ એક કટપુટલી જેવું બની જાય છે છતાં તો ત્યાં લશ્કરની જ ચાલે છે લશ્કરની સાથે સહભાગી તેની ગુપ્તચર એજન્સી છે અને ગુંડાઓ છે ત્રાસવાદીઓ છે જે પાકિસ્તાનને ચલાવે છે
ભારત માટે મુખ્ય મુદ્દો એ છે કે નવી સરકાર સરહદ પારના આતંકવાદના મુદ્દાને ઉકેલવામાં સક્ષમ છે કે નહીં.
"ભારતને એવો કોઈ ભ્રમ નથી કે પાકિસ્તાનની સેના ભારત પ્રત્યેની નીતિ નક્કી કરશે," તેમણે ઉમેર્યું. "હાલની રમતની સ્થિતિમાં કોઈપણ નાગરિક સરકારની ભારતની નીતિ પર માત્ર થોડી જ વાત હશે, પરંતુ શરીફનો સ્પષ્ટપણે તેમની ત્રણ વર્ષની પીટીઆઈ સરકારમાં ઈમરાન ખાન કરતાં ભારત સુધી પહોંચવાનો ટ્રેક રેકોર્ડ વધુ સારો છે."
ભારત પર હંમેશની જેમ વેપાર ચાલુ રાખવામાં જ પાકિસ્તાનને લાભ છે આથી તે આવ્યા પર ચાલુ રાખે તેવી શક્યતા છે
ભારત અને પાકિસ્તાન લાંબા સમયથી કાશ્મીર અને ક્રોસ બોર્ડર અથડામણો પર મતભેદો ધરાવે છે, આ ક્ષેત્રની કાનૂની દરજ્જામાં ભારતના ફેરફારોને કારણે પાકિસ્તાને 2019 માં દ્વિપક્ષીય વેપાર સ્થગિત કર્યો હતો અને વર્તમાન રાજદ્વારી આસ્થિરતા તરફ દોરી ગયું હતું.
"પછી ભલે ગમે તે પક્ષ જીતે કે ગઠબંધન સરકાર બનાવે, પાકિસ્તાનમાં નાગરિક-લશ્કરી સંબંધો સૈન્યની તરફેણમાં ભારે નમેલા છે. પાકિસ્તાનના ઇતિહાસમાં ક્યારેય મજબૂત નાગરિક સરકાર બની નથી અને તે સમજાવે છે કે શા માટે ભારત-પાકિસ્તાન શાંતિ પ્રક્રિયા ક્યારેય નથી થઈ. શબ્દના સાચા અર્થમાં દૂર કરવામાં આવ્યું,"
તેણી કહે છે કે નવાઝ શરીફના શાંતિ તરફી વલણનો અર્થ સેનાની સંમતિ વિના બહુ ઓછો છે.
"તે શંકાસ્પદ લાગે છે કારણ કે ઈસ્લામાબાદ તરફથી કોઈપણ શાંતિ તરફી ઈશારો કાશ્મીર પરના તેના મજબૂત સ્થાનોને નકારવાથી શરૂ કરવો પડશે જે પાકિસ્તાની સૈન્યના પૂર્વાધિકારને ઝુકાવી શકે છે,"
સુરેશ ભટ્ટ
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें
FREE TSROT READING