તંત્રી લેખ
લોકશાહીની હત્યા બાદ પાકિસ્તાનમાં અરાજકતા
+++++++
પાકિસ્તાનની ચૂંટણીમાં મોટા પ્રમાણમાં ગરબડ કરવામાં આવી અને કેપ્ટન ઇમરાન ખાનના વિજયને કાવાદાવા કરીને અટકાવવામાં આવ્યો. મતગણતરી પાકિસ્તાનમાં શરૂ થઈ ત્યારે શરૂઆતના ત્રણ તબક્કામાં ઇમરાનખાન સૌથી આગળ ચાલી રહ્યા હતા તેના ઉમેદવારો વધુ મત મેળવી રહ્યા હતા જોકે ઇમરાન ખાન જેલમાં હોવાથી તે ચૂંટણીમાં નથી ઊભા રહ્યા પરંતુ તેના સમર્થકો વધુને વધુ મત મેળવતા હતા આથી લશ્કરે ચૂંટણીની પ્રક્રિયામાં મોટા પ્રમાણમાં ગરબડ કરીને પીટીઆઈ ના વિજયને અટકાવી દીધો. આમ પાકિસ્તાનમાં લોકશાહીની હત્યા થઈ. હવે પાકિસ્તાનમાં નવાજ શરીફ અને તેના પ્રાદેશિક પક્ષો મળીને ત્રીશંકુ સરકાર રચશે આ ચૂંટણી પહેલા બલુચિસ્તાનમાં પરિસ્થિતિ વિસ્ફોટક બની હતી આ સરહદી પ્રાંતમાં ચૂંટણી બાદ અરાજકતા નું સામ્રાજ્ય છવાયેલું છે. આર્થિક રીતે કંગાળ બનેલા પાકિસ્તાને ઈરાન પર હુમલો કર્યો પરિણામે ઈરાને સર્જીકલ સ્ટ્રાઈક કરી પાકિસ્તાનના છક્કા છોડાવી દીધા ત્યારબાદ ચૂંટણીનો માહોલ પણ લોહીભીનો બન્યો. ચારે તરફ અરાજકતા નું વાતાવરણ છવાયેલું હતું તેમાં ચૂંટણી બાદ પણ લોકશાહીની હત્યા થઈ જે અરાજકતા બલુચિસ્તાન પૂરતી હતી તે સમગ્ર દેશમાં ફેલાઈ ગઈ.સૌથી વધુ અરાજકતાને હિંસા બલુચિસ્તાનમાં છે જ્યાં કોઈ નું નિયંત્રણ નથી.
આ હુમલાના બે દિવસ પહેલાં ઈરાને પાકિસ્તાનમાં આવેલા બલૂચિસ્તાન પ્રાંતમાં આવેલા ઉગ્રવાદીઓને લક્ષ્યમાં રાખીને હુમલાઓ કર્યા હતા.
પાકિસ્તાનના અધિકારીઓના કહેવા અનુસાર, ઈરાને કરેલા હુમલામાં બે બાળકોનાં મૃત્યુ થયાં હતાં અને ત્રણ લોકો ઘાયલ થયા હતા.
આ હુમલાઓને કારણે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં એ પ્રકારની ચિંતા જન્મી છે કે મધ્ય-પૂર્વના ક્ષેત્રમાં આ વિવાદો વધીને કોઈ યુદ્ધનું સ્વરૂપ ન લે.
જોકે, ઐતિહાસિક રીતે ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ઘણા ગૂંચવણભર્યા રહ્યા છે પરંતુ બંને દેશોએ ચોક્કસ સૌહાર્દ જાળવી રાખ્યો છે.
બંને દેશો માટે બલૂચ ઉગ્રવાદીઓનો પ્રશ્ન કાયમનો રહ્યો છે. પાકિસ્તાન સ્થિત ભૂતપૂર્વ બ્રિટિશ ઍમ્બેસેડર રૉબર્ટ મેકેર તેને અંધાધૂંધી ભરેલી એ જગ્યા ગણાવે છે જ્યાં કોઈ ‘કાયદો’ નથી.
પાકિસ્તાનનો 44 ટકા ભાગ બલૂચિસ્તાનમાં આવેલો છે, જેમાં સોનું, તાંબું અને ગેસનો વિપુલ જથ્થો છે. તે દૃષ્ટિએ એશિયામાં બલૂચિસ્તાનો આ વિસ્તાર ખૂબ મહત્ત્વપૂર્ણ છે.
પરંતુ વિરોધાભાસી રીતે, દૂરસુદૂરમાં આવેલો આ પ્રદેશ વિખૂટો રહે છે. તે પાકિસ્તાનનો સૌથી ગરીબ અને સૌથી ઓછો વિકસિત પ્રાંત છે.
આ પ્રાંતનું નામ બલૂચ જનજાતિઓ પરથી પડ્યું હોવાનું મનાય છે, જેમણે આ વિસ્તારમાં સદીઓ પહેલાં વસવાનું શરૂ કર્યું હતું.
એવી સંભાવના છે કે એ પહેલાં આ વિસ્તાર કોઈ અન્ય નામે ઓળખાતો હોય પરંતુ ઇસ્લામિક કાળ પહેલાંનો તેનો કોઈ રેકૉર્ડ મળતો નથી. પરંતુ પ્રાચીન સમય માટે અખંડ ભારત વર્ષનો જ એક ભાગ હતો.
અલગ-અલગ ઉગ્રવાદી જૂથો પ્રેરિત અસ્થિરતા 1948માં શરૂ થઈ હતી. બલૂચ લોકો તેમના અલગ સ્વતંત્ર રાષ્ટ્ર માટેની માગણી કરી રહ્યા હતા. 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ તેમણે આ ચળવળ શરૂ કરી હતી.
ભાગલાવાદી લોકોએ સતત તેમનો મત વ્યક્ત કર્યો હતો કે ઇસ્લામાબાદથી ચાલતી પાકિસ્તાનની સરકાર તેમના પ્રદેશ પ્રત્યે સતત દુર્ભાવનાથી કામ કરે છે. બલૂચ લોકોને સતત એવું લાગતું હતું કે તેમની સાથે ભેદભાવ થઈ રહ્યો છે. આટલું મોટું રાજ્ય હોવા છતાં તેમનું પ્રતિનિધિત્ત્વ દરેક જગ્યાએ ઓછું હતું.
આ વિસ્તારમાં આવેલા મોટા રણમાં બે દાયકાથી વધુ સમય પહેલાં પાકિસ્તાને છ પરીક્ષણો કર્યાં હતાં જેના કારણે પાકિસ્તાને સફળતાપૂર્વક પરમાણુ પરીક્ષણ કરનાર દેશ તરીકે વિશ્વમાં સાતમું સ્થાન બનાવ્યું હતું.
આ પરીક્ષણો મે, 1998માં તત્કાલીન વડા પ્રધાન નવાઝ શરીફના નેતૃત્વ હેઠળ ચગાઈ જિલ્લામાં (તેને ચગાઈ-1 કહેવામાં આવે છે)માં કરવામાં આવ્યા હતા અને તેના પરિણામે પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાગ્યા હતા.
"અમે ક્યારેય આ પરમાણુ સ્પર્ધામાં ભાગ લેવા માગતા ન હતા," શરીફે તે સમયે આમ કહ્યું હતું.
નવાજ શરીફ કદાચ સત્તામાં આવે તો પણ તે બલુચિસ્તાનને સંભાળી શકે કે કેમ તે એક મોટી શંકા છે તેમના માટે આ સૌથી મોટો માથાનો દુખાવો રહેવાનો છે તે નક્કી જ છે
“બલૂચિસ્તાનમાં અનેક પ્રકારના રાષ્ટ્રવાદ જોવા મળે છે. ઘણા લોકો પાકિસ્તાન જે પણ નિર્ણય લે તેનો વિરોધ કરે છે કારણ કે તેઓ કોઈપણ ભોગે એક સ્વતંત્ર રાષ્ટ્ર બનવા ઇચ્છે છે.”
“જ્યારે અનેક જૂથોના મનમાં એવી લાગણી છે કે પંજાબ પછી પાકિસ્તાનનો બીજો સૌથી મોટો પ્રદેશ હોવા છતાં પણ તેમના લોકોની સલાહ લેવામાં આવતી નથી.”
પાકિસ્તાનમાં લોકશાહીની હત્યા બાદ માત્ર બલુચિસ્તાન નહીં પરંતુ સિદ્ધ પ્રાંત અને પીઓકે પણ સૌથી વધારે અશાંતગ્રસ્ત વિસ્તારો છે જે આજે નહીં તો કાલે પાકિસ્તાનના હાથમાંથી જવાના છે
સુરેશ ભટ્ટ
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें
FREE TSROT READING