તંત્રીલેખ
ભાજપે જુના કાપી નવા માટે લાલ જાજમ બિછવી
+++++++++++++
સમગ્ર રાષ્ટ્ર આગામી ત્રણ મહિના માટે ચૂંટણી જવાનો છે રાજકીય નેતાઓ અને પક્ષના વચનો અને ઇરાદા ના અવનવાર પ્રકારો તેમાં પ્રજાને જોવા મળશે જાણવા મળશે
આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપાએ કુલ ૪૦૫ ઉમેદવાર ફાઇનલ કરી નાખ્યા છે. મંગળવારે છઠ્ઠી યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં રાજસ્થાનથી બે ઉમેદવાર અને એક મણિપુરથી હતા. રવિવારે પાંચમી યાદીમાં ૧૧ નામ જાહેર કરવામાં આવ્યાં હતાં. ભાજપે તબક્કાવાર ૬ યાદી જાહેર કરી મહારાષ્ટ્ર, હરિયાણા, યુપી, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી સહિત રાજ્યોના ઉમેદવાર ફાઇનલ કર્યા છે.
લોક્સભાની ચૂંટણી માટે ભાજપ મોવડીમંડળે ઉમેદવારોની પાંચમી યાદીમાં અનેક મોટા ફેરફાર જોવા મળ્યા છે. અનેક સ દિગ્ગજોની ટિકિટ કપાઈ છે નવા ચહેરા પર દાવ લગાવ્યાનું ચિત્ર બા છે. ત્રણ બેઠકો પર ઉમેદવારોનાં નામ જાહેર થયાં પછી ચૂંટણી ૨૦ લડવાના ઇનકાર બાદ નવા ચહેરાને તક આપવામાં આવી છે. હ ભાજપના પાંચમા લિસ્ટમાં ૩૭ સાંસદોનાં નામ ગાયબ છે. જે न મુખ્ય નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે તેમાં િ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત, રામાયણ સિરિયલમાં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલનાં નામ છે. મેનકા ગાંધીને ટિકિટ આપવામાં આવી છે, તો તેમના પુત્ર વરુણનું પત્તું કપાયું છે. હરિયાણામાં કોંગ્રેસમાં બે વેળા સાંસદ રહેલા નવીન જિંદલનો. કુરુક્ષેત્રથી અને અપક્ષ વિધાનસભ્ય અને રાજ્ય સરકારમાં પ્રધાન રણજિત ચૌટાલાને હિસારથી ટિકિટ આપવામાં આવી છે. તેઓ બે દિવસ પહેલાં જ ભાજપમાં જોડાયા હતા. તેઓ ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન ચૌધરી દેવીલાલના પુત્ર અને ઓમપ્રકાશ ચોટાલાના ભાઈ છે. ચૌધરી વીરેન્દ્ર સિંહ અને તેમના પુત્ર સાંસદ બૃજેન્દ્ર સિંહના ભાજપ છોડયા પછી પક્ષને હિસાર બેઠક પર શક્તિશાળી ઉમેદવારની આવશ્યક્તા હતી. વાયનાડમાં રાહુલ ગાંધી સામે ભાજપના પ્રદેશાધ્યક્ષ કે. સુરેન્દ્રનૂને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. २० न
લીધો છે.
ભાજપે બિહારમાં પોતાના અનેક મુખ્ય નેતાઓ પર ફરીથી વિશ્વાસ મૂક્યો છે, જેમાં રવિશંકર પ્રસાદ, રાજીવ પ્રતાપ રૂડી, નિત્યાનંદ રાયગિરિરાજ સિંહ, આર. કે. સિંહ, રાધામોહન સિંહનો સમાવેશ થાય છે. કર્ણાટકમાં પક્ષને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગદીશ શેટ્ટારને ઉમેદવાર બનાવ્યા છે, જેથી લિંગાયત સમાજને ફરી એકવાર પોતાની સાથે જોડી શકાય. સાંસદ અનંત હેગડેની ટિકિટ કાપવામાં આવી છે.
ઓડિશામાં ભાજપ બધી બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યો છે. સૂચિમાં કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, પક્ષ ઉપાધ્યક્ષ બૈજનાથ પોડા, પક્ષના પ્રવક્તા સંબિત પાત્રાનાં નામ સામેલ છે. પશ્ચિમ બંગાળમાં હાલમાં જ પક્ષમાં પાછા ફરેલા અર્જુન સિંહને ટિકિટ આપી છે. તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા તાપસ રોયને કોલકાતા ઉત્તરથી ટિકિટ આપવામાં આવી છે. પક્ષે સંદેશખાલીની પીડિતા રેખા પાત્રાને બશીરાહતથી ઉમેદવાર બનાવ્યા છે જ્યારે કૃષ્ણાનગરની બેઠક પરથી અમૃતા રોયને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. કોલકાતા હાઈ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અભિજિત ગંગોપાધ્યાય તમલુકથી ભાજપના ઉમેદવાર છે.
મેરઠમાં ઉછેરેલા અને રામની ભૂમિકા ભજવનારા અરુણ ગોવિલને ભાજપે મેરઠ-હાપુડ બેઠક પર ટિકિટ આપી છે. અહીં ખાસ ઉલ્લેખ કરવો ઘટે કે ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં અરુણ ગોવિલ પીળાં વસ્ત્રો પહેરી અયોધ્યાના રસ્તા પર નીકળ્યા ત્યારે જનતાએ તેમનું સ્વાગત પ્રભુ રામના રૂપમાં જ કર્યું હતું. મહાભારત અને રામાયણના અનેક કલાકારો સાંસદ બન્યા છે અથવા તો કોઈ અન્ય પદ પર છે. યોગાનુયોગ એ કે જે વર્ષ ભગવાન શ્રીરામના વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠા થઈ એ જ વર્ષે ગોવિલનો વનવાસ પણ ખતમ થયો. પોતાની જ જન્મભૂમિથી લોક્સભામાં જવા માટે ભાજપ દ્વારા તેમને તક આપવામાં આવી રહી છે.
પશ્ચિમ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ગૃહરાજ્ય તરીકે* ઓળખ ધરાવતા ગુજરાતમાં છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપે ક્લીન સ્વીપ કરવાં સાથે વિધાનસભા ચૂંટણીઓમાં પણ ત્રણ ચતુર્થાંશ બહુમત સાથે પ્રચંડ વિજયો મેળવેલા છે. છેલ્લા ત્રણ દાયકાથી તો લગભગ તમામ ચૂંટણીમાં ઉપરાઉપરી વ્હાઈટ વોશ થતા આવેલા કોંગ્રેસે આ વખતે ગુજરાતમાં આપ સાથે ગઠબંધન કરેલું છે. જો કે કોંગ્રેસની સૌથી મોટી મુશ્કેલી એ છે કે, રાજ્યમાં એક પછી એક કોંગ્રેસનાં નેતાઓ ભાજપનો ભગવો ધારણ કરવા લાગ્યા છે. હંમેશાંની માફક હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ ચૂંટણીમાં પ્રમુખ મુદ્દા રહેવાના જ છે. તદુપરાંત મોદી અને અમિત શાહનું ગૃહરાજ્ય હોવાનાં કારણે ગુજરાતમાં અસ્મિતાનાં મુદ્દાનો લાભ પણ ભાજપને મળતો આવે છે.
પંજાબની વાત કરીએ તો
છેલ્લા પાંચ વર્ષમાં આ રાજ્યની રાજનીતિમાં જબરદસ્ત બદલાવ આવેલો છે. પહેલા અહીં કોંગ્રેસ અને અકાલી એમ બે ધ્રુવ હતાં. હવે અહીં સત્તા આપ પાસે છે. અકાલી દળે કિસાન આંદોલનનાં બહાને ભાજપ સાથે જોડાણ તોડલું છે તો કોંગ્રેસનાં સ્તંભ રહેલા કેપ્ટન અમરિંદર સિંહ હવે ભાજપમાં જતા રહેલા છે. આપ વિપક્ષી ગઠબંધનમાં છે પણ કોંગ્રેસ સાથે બેઠક વહેચણીમાં મડાગાંઠ પડી છે. કિસાન આંદોલન નવેસરથી જોરમાં આવ્યું છે. ત્યારે ભાજપ અને અકાલી ફરીથી ગઠજોડનાં પ્રયાસોમાં લાગેલા છે.
સુરેશ ભટ્ટ